અયોધ્યા રામ મંદિર દાન ચોરી: SIT તપાસની માંગ, ભક્તોની આસ્થા સાથે ચેડાં?
અયોધ્યા રામ મંદિર દાન ચોરી: SIT તપાસની માંગ, ભક્તોની આસ્થા સાથે ચેડાં?
Published on: 13th June, 2026

અયોધ્યા રામ મંદિરમાં ભક્તો દ્વારા દાનમાં અર્પણ કરાયેલા નાણાંની કથિત ચોરીના ગંભીર આરોપો બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે ખુદ 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ SIT (Special Investigation Team) દ્વારા ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરાવવાની વિનંતી કરી છે. ટ્રસ્ટની મુખ્ય માંગ છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થાય અને કોઈને પણ છોડવામાં ન આવે, જેથી ભક્તોની આસ્થા પરથી વિશ્વાસ ન ઉઠે.