સુરેન્દ્રનગરની વિરવંદન હોસ્પિટલના તબીબની બેદરકારીથી મહિલાના મોતનો આરોપ
સુરેન્દ્રનગરની વિરવંદન હોસ્પિટલના તબીબની બેદરકારીથી મહિલાના મોતનો આરોપ
Published on: 17th August, 2026

સુરેન્દ્રનગરની વિરવંદન હોસ્પિટલમાં લોહીના ટકા ઓછા હોવાથી દાખલ કરાયેલા ત્રિવેણીબેન કણઝરીયા નામની મહિલાનું મોડી રાત્રે મોત થયું. પરિવારજનોએ ડો. હેમલ સરવૈયાની બેદરકારીનો આક્ષેપ કર્યો, જેના પગલે હોસ્પિટલમાં હોબાળો મચ્યો. પોલીસે સ્થળ પર પહોંચી સમજાવટ બાદ મૃતદેહને PM માટે ખસેડ્યો. બીજા દિવસે પણ કાર્યવાહી ન થતાં પરિવારજનો ન્યાયની માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યા. PM રિપોર્ટમાં બેદરકારી જણાય તો ગુનો દાખલ કરવાની ખાતરી બાદ મામલો હાલ પૂરતો શાંત પડ્યો છે.