સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મારામારી અને પોલીસ પર હુમલા કેસનો ફરાર આરોપી પકડાયો
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મારામારી અને પોલીસ પર હુમલા કેસનો ફરાર આરોપી પકડાયો
Published on: 19th July, 2026

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ફતેપુર ગામે તા. 15-1-26ના રોજ એક જ જ્ઞાતીના 2 જુથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ઘટનાસ્થળે ગયેલ પોલીસ ઉપર પણ હુમલો થયો હતો. જેમાં મારામારીની 19 આરોપીઓ સામે તથા પોલીસની ફરજમાં રૂકાવટની 9 આરોપીઓના નામ સાથે કુલ 25ના ટોળા સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. આ બન્ને ગુનાના ફરાર આરોપી વશરામ રત્નાભાઈ ખાંભલાને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઈ સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે.