૨૨ વર્ષીય પરિણીતાએ દોઢ વર્ષની પુત્રી સામે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી.
૨૨ વર્ષીય પરિણીતાએ દોઢ વર્ષની પુત્રી સામે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી.
Published on: 17th June, 2026

ભાવનગરની ૨૨ વર્ષીય પરિણીતાએ સુરત આવી ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં પોતાની દોઢ વર્ષની માસૂમ પુત્રીની નજર સામે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, થોડા મહિના પહેલાં જ તેના પતિનું નિધન થયું હતું, જેના કારણે તે ભારે દુઃખી અને એકલતા અનુભવી રહી હતી. આ દુઃખના કારણે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાની આશંકા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.