સુરતમાં શેરબજારમાં દેવું, પુત્રએ માતાની હત્યા કરી જાતે કરી લીધી આત્મહત્યા
સુરતમાં શેરબજારમાં દેવું, પુત્રએ માતાની હત્યા કરી જાતે કરી લીધી આત્મહત્યા
Published on: 01st August, 2026

સુરતના વરાછામાં શેરબજારમાં લાખો રૂપિયાનું દેવું થઈ જતાં 36 વર્ષીય પુત્ર જતીને પોતાની 63 વર્ષીય માતા ભાનુબહેનને દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી. ત્યારબાદ પુત્ર જતીને પોતાના રૂમમાં પંખાના હૂક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. બંનેના મૃતદેહ પડોશીઓ દ્વારા પોલીસને જાણ કર્યા બાદ મળી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા, જ્યાં માતાની હત્યા અને પુત્રની આત્મહત્યાની પુષ્ટિ થઈ હતી.