કુલગામમાં આતંકી હુમલો: છત્તીસગઢના બે શ્રમિકની નામ પૂછી ગોળી મારી હત્યા
કુલગામમાં આતંકી હુમલો: છત્તીસગઢના બે શ્રમિકની નામ પૂછી ગોળી મારી હત્યા
Published on: 01st August, 2026

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લામ વિસ્તારમાં આતંકવાદીઓએ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકને નામ પૂછ્યા બાદ ગોળી મારી હત્યા કરી. આ હુમલામાં બંને મજૂરોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા 10 દિવસમાં દક્ષિણ કાશ્મીરમાં આ બીજો મોટો આતંકી હુમલો છે, જે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે.