અમદાવાદના ઇસનપુરમાં વેપારીની સાળીએ કરી 50 લાખના સોનાના દાગીનાની ચોરી
અમદાવાદના ઇસનપુરમાં વેપારીની સાળીએ કરી 50 લાખના સોનાના દાગીનાની ચોરી
Published on: 01st August, 2026

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક વેપારીના મકાનમાંથી રૂ. 50 લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. વેપારીની સગી સાળી, ફરહાનાઝ પઠાણે, પોતાની માતાની હોમ લોન ચૂકવવા માટે આ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. તેણે વિશ્વાસમાં લઈને તેની ભાણેજ પાસેથી ઘરના દરવાજાનો digital lock password મેળવી લીધો હતો. પરિવાર બહાર જમવા ગયો ત્યારે તકનો લાભ લઈને તેણે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી. આ ચોરીના પ્રયાસનો તેણે 10 મહિના પહેલા પણ પ્રયાસ કર્યો હતો.