ચોટીલામાં નશામાં ધૂત ડ્રાઈવરે વાછરડી પર પીકઅપ ચડાવી દેતા મોત, લોકોમાં ભારે આક્રોશ.
ચોટીલામાં નશામાં ધૂત ડ્રાઈવરે વાછરડી પર પીકઅપ ચડાવી દેતા મોત, લોકોમાં ભારે આક્રોશ.
Published on: 02nd March, 2026

ચોટીલામાં નશામાં ધૂત પીકઅપ ચાલકે રસ્તા પર ઉભેલી વાછરડીને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ ઘટના પરમેશ્વર પાર્ક સોસાયટીમાં બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને ગૌસેવકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. અગાઉ આ જ ચાલક પર કૂતરા પર ગાડી ચડાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.