અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત
અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત
Published on: 03rd May, 2026

અમદાવાદના રાજીવ નગર ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 52 વર્ષીય નટુભાઈ પરમાર નામના વ્યક્તિ પર ચાર શખસોએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.દર્શન કરી પરત ફરતા સમયે બની ઘટના. મળતી માહિતી મુજબ, મૃતક નટુભાઈ કલાભાઈ પરમાર ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ મેલડી માતાના મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા.