ભાવનગર લઠ્ઠાકાંડમાં દિલ્હીથી બોગસ બિલ બનાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં દિલ્હીથી બોગસ બિલ બનાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ
Published on: 08th September, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. ઝેરી મિથેનોલ માટે દિલ્હીથી 'થિનર'ના બોગસ બિલ બનાવનાર મુખ્ય સૂત્રધાર મનજીત સિંહ સૈનીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાંથી ૩૮ આરોપીઓ જેલ હવાલે છે. આ કાંડમાં ૧૩ લોકોના મોત થયા હતા અને ૭૦થી વધુ લોકો ઝેરી રસાયણની ઝપટે ચડ્યા હતા.