અમદાવાદમાં નહેરુનગર ફાયરિંગ કેસમાં Ex DySPના પુત્ર-પુત્રીની જામીન અરજીનો પોલીસ દ્વારા કોર્ટમાં જોરદાર વિરોધ
અમદાવાદમાં નહેરુનગર ફાયરિંગ કેસમાં Ex DySPના પુત્ર-પુત્રીની જામીન અરજીનો પોલીસ દ્વારા કોર્ટમાં જોરદાર વિરોધ
Published on: 03rd June, 2026

અમદાવાદમાં નહેરુનગર ફાયરિંગ કેસમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડના મામલામાં પૂર્વ DySPના સંતાનોની જામીન અરજીનો પોલીસે કોર્ટમાં સખત વિરોધ કર્યો છે. તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે આ ગુનો અત્યંત ગંભીર છે અને આરોપીઓ વગનો દુરુપયોગ કરી પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. BNSS કલમ 183 હેઠળ મુખ્ય સાક્ષીઓના નિવેદનો નોંધાયા છે, જે કેસને વધુ મજબૂત બનાવે છે. ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાથી જામીન આપવાથી તપાસ પર વિપરીત અસર થઈ શકે છે.