પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા.
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા.
Published on: 12th May, 2026

ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતો યુવાન ફોઇના પુત્રના લગ્નમાં આવ્યો હતો અને ડીજે ની મજા માણી રહ્યો હતો તે દરમિયાન યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી ત્રણ ઈસમોએ યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. ભાવનગર શહેર જિલ્લામાં આવારા તત્વો જાણે કે બેફામ બન્યા હોય તેમ મારા મારી હત્યા સહિતના બનાવવાનું પ્રમાણે દિન પ્રતિદિન વધી રહ્યું છે. હજુ તો વિઠ્ઠલવાડી વિસ્તારમાં આધેડને છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટનાને ૨૪ કલાક નથી થયા ત્યાં જ બીજી ઘટના ફુલસર વિસ્તારમાં બની હતી.