કોપર વાયર ચોરીની શંકા: પર ૧૨ શખ્સોએ આધેડ પર કર્યો જીવલેણ હુમલો
કોપર વાયર ચોરીની શંકા: પર ૧૨ શખ્સોએ આધેડ પર કર્યો જીવલેણ હુમલો
Published on: 08th September, 2026

ભાવનગર નજીક સીદસર ગામે કોપર વાયર ચોરીની શંકા રાખી ૧૨ જેટલા શખ્સોએ આધેડ વ્યક્તિ પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં આધેડના બંને પગ અને જડબું ભાંગી નાખવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા છે. વરતેજ પોલીસે ૧૨ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં જૂની અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક અનુમાન છે.