વેપારીઓનો UPI ચાર્જ પર વિરોધ
વેપારીઓનો UPI ચાર્જ પર વિરોધ
Published on: 18th September, 2026

રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ૦.૪૦ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની જાહેરાતથી દેશભરમાં વેપારીઓ, દુકાનદારો, પેટ્રોલ પંપ ડીલરો અને મોટી કંપનીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ ચાર્જનો બોજ ગ્રાહકો પર પડશે, અથવા તેઓ રોકડ વ્યવહાર તરફ વળશે. નાણા મંત્રાલયે રોકડ વ્યવહાર વધવાના ભયને નકારી કાઢ્યો છે અને MDRની અસર માત્ર ચાર ટકા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ પર જ પડશે તેવો દાવો કર્યો છે. નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહિડીએ ૧૦૦ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર માત્ર ૪૦ પૈસાના ચાર્જને સામાન્ય ગણાવ્યો છે, જેણે નવો વિવાદ સર્જ્યો છે.