ચીને વધુ ૩ ભારતીય ચોખા નિકાસકારો પર પ્રતિબંધ મૂક્યો
ચીને વધુ ૩ ભારતીય ચોખા નિકાસકારો પર પ્રતિબંધ મૂક્યો
Published on: 18th September, 2026

ચીને વધુ ત્રણ ભારતીય ચોખા નિકાસકારોની નોંધણી રદ કરી છે, દાવો છે કે ભારતીય ચોખામાં GMOs હોય છે. આ સાથે કુલ ૧૦ નિકાસકારો પર પ્રતિબંધ મૂકાયો છે. આ પગલાંથી ભારતીય વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને વેપાર લગભગ સ્થગિત થઈ ગયો છે. ભારતીય વેપારીઓ ચીન પર જાણી જોઈને વેપારમાં અવરોધ લાવી વેપાર યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. ચીન દ્વારા GMOs નો ઉલ્લેખ કરીને ભારતીય ચોખાના કન્સાઇન્મેન્ટ પરત કરવામાં આવ્યા છે.