જૂનાગઢમાં અષાઢી બીજની તેજી: વાહન ખરીદીમાં CNG અને EVની માંગમાં વધારો, સોનાની બજારમાં મંદી
જૂનાગઢમાં અષાઢી બીજ અને પુષ્ય નક્ષત્રના શુભ સંયોગ છતાં સોનાના ભાવમાં સતત વધારાને કારણે સોની બજારમાં મંદી જોવા મળી. પુષ્યનક્ષત્રમાં પરંપરાગત રીતે થતી દાગીનાની ખરીદીમાં ઘટાડો થયો છે. બીજી તરફ, ઓટો મોબાઇલ માર્કેટમાં તેજી જોવા મળી. ઇંધણની અછત અને ભાવ વધારાને કારણે લોકોએ CNG અને EV વાહનોની ખરીદીને વધુ પ્રાધાન્ય આપ્યું. આ અષાઢી બીજે 130 કાર અને 370 બાઇકનું વેચાણ થયું, જેમાં SUV અને નાની કારની માંગ વધુ રહી.
જૂનાગઢમાં અષાઢી બીજની તેજી: વાહન ખરીદીમાં CNG અને EVની માંગમાં વધારો, સોનાની બજારમાં મંદી
17 જુલાઈ 2026: રાશિ ભવિષ્ય - મેષ, તુલાને મળશે મોટી જવાબદારી, વેપારમાં ધન લાભના યોગ
17 જુલાઈ 2026ના રાશિફળ મુજબ, મેષ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, જ્યારે તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં મોટી લીડરશિપની જવાબદારી મળી શકે છે. વેપારમાં અણધાર્યા ધન લાભના યોગ દેખાઈ રહ્યા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજના દિવસે ધાર્મિક કાર્યોમાં જોડાવાથી માનસિક સંતોષ મળશે અને પરિવાર સાથે ખુશીનો માહોલ રહેશે. આર્થિક નિર્ણયો સમજી-વિચારીને લેવા હિતાવહ છે.
17 જુલાઈ 2026: રાશિ ભવિષ્ય - મેષ, તુલાને મળશે મોટી જવાબદારી, વેપારમાં ધન લાભના યોગ
જરોદ ગામમાં કપિરાજના આંતક બાદ અંતે વનવિભાગે વાંદરાને પાંજરે પૂર્યો
જરોદ ગામના ડેરી ફળિયા અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કપિરાજે ભયનો માહોલ સર્જ્યો હતો. જેમાં ચાર લોકોને કપિરાજે બચકાં ભર્યા હતા, જે તમામે જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ અંગે વડોદરા Forest વિભાગને જાણ કરાતા, તેમની ટીમ તાત્કાલિક જરોદ પહોંચી અને વાંદરાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું. ટ્રાન્કવી લાયસર (ડાર્ક ઘ્ાન) નો ઉપયોગ કરી Forest વિભાગે સફળતાપૂર્વક તોફાની કપિરાજને પરમાર ફળિયામાંથી પાંજરે પુર્યો.
જરોદ ગામમાં કપિરાજના આંતક બાદ અંતે વનવિભાગે વાંદરાને પાંજરે પૂર્યો
UGVCLમાં સોલાર યુનિટ નોંધણીમાં વિસંગતતા: ગ્રાહકની સ્માર્ટ મીટર ટેસ્ટિંગની માંગ
મહેસાણામાં સ્માર્ટ મીટર અને સોલાર બિલિંગમાં વિસંગતતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોકુલ હોમ્સના સોલાર રૂફટોપ ગ્રાહક અલ્પેશ પટેલે યુજીવીસીએલના સ્માર્ટ મીટર સામે સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક ફરિયાદ નિવારણ મંચમાં અધિકૃત ટેસ્ટિંગ અને ટેકનિકલ તપાસની માંગ કરી છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, તેમના બિલમાં સોલાર એક્સપોર્ટ 362 યુનિટ દર્શાવાયું છે, જ્યારે ઇન્વર્ટર એપમાં કુલ ઉત્પાદન 498.7 યુનિટ નોંધાયું છે, જે 136.7 યુનિટનો તફાવત સૂચવે છે. આ ઉપરાંત, તેમણે એક જ સમયે નોંધેલા વિવિધ સ્ત્રોતોના રીડિંગમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. UGVCLએ ફરિયાદની ચકાસણીની ખાતરી આપી છે.
UGVCLમાં સોલાર યુનિટ નોંધણીમાં વિસંગતતા: ગ્રાહકની સ્માર્ટ મીટર ટેસ્ટિંગની માંગ
પાલનપુરમાં 35 ડિગ્રી તાપમાનમાં ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રા
પાલનપુરમાં અષાઢી બીજે 35 ડિગ્રી તાપમાન વચ્ચે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની 55મી રથયાત્રા નીકળી હતી. ધારાસભ્ય અને તેમના ધર્મપત્નીએ પહિંદ વિધી કર્યા બાદ 18 કિલોમીટર લાંબી નગરચર્યામાં હજારો ભાવિકો જોડાયા હતા. 24000 પગલાં ચાલીને ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. જય રણછોડના જયઘોષ અને ડી.જે.ના ભક્તિગીતો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ.
પાલનપુરમાં 35 ડિગ્રી તાપમાનમાં ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રા
થાનગઢના મોટા-નાના તળાવમાં પાણીની આવક બંધ, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
થાનગઢ શહેર માટે જીવનરેખા સમાન મોટા અને નાના તળાવમાં પાણીની આવક બંધ થતાં લોકો ચિંતિત બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતું પાણી વહેણ દ્વારા તળાવમાં ભળે છે, પરંતુ નદીઓના પટમાં થયેલા દબાણો અને ગંદકીને કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા સમયસર સફાઈ અને દબાણ દૂર ન કરાતા તળાવ કોરા પડ્યા છે. આ પરિસ્થિતિમાં, રહીશો માંગ કરી રહ્યા છે કે નદીઓના પટની સફાઈ થાય અને ગેરકાયદે દબાણો દૂર કરાય, જેથી ભૂગર્ભ જળ સ્તર જળવાઈ રહે અને શહેરને પીવાના પાણીની અછત ન નડે.
થાનગઢના મોટા-નાના તળાવમાં પાણીની આવક બંધ, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
દમણથી દિલ્હી સુધી સીધી ફ્લાઇટ શરૂ: પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસની નવી દિશા
દમણ અને આસપાસના વિસ્તારો માટે ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે દમણથી નવી દિલ્હી માટેની સીધી હવાઈ સેવા શરૂ થઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ નવી કનેક્ટિવિટીથી દિલ્હી અને ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે દમણ આવવું સરળ બનશે, જે પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. દમણ, વાપી અને સિલવાસાના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને દિલ્હી સુધી સીધો રૂટ મળવાથી વેપાર-ધંધાને નવી ગતિ મળશે. આ સેવા સમય અને નાણાં બચાવીને દમણના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપશે.
દમણથી દિલ્હી સુધી સીધી ફ્લાઇટ શરૂ: પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસની નવી દિશા
દાહોદ જિલ્લામાં યુરિયાની તંગી: 8800 મેટ્રિક ટન જથ્થો હજુ આવ્યો નથી
દાહોદ જિલ્લામાં ચોમાસા દરમિયાન 1 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થયા બાદ ખેડૂતો યુરિયા ખાતરની અછતથી ચિંતિત છે. જુલાઈ સુધીમાં આવનાર 8800 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો હજુ આવ્યો નથી. આ કારણે ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી પર નિર્ભર છે. જૂનમાં ઓછો વરસાદ બાદ જુલાઈમાં સારા વરસાદથી વાવેતર થયું હતું, પરંતુ હવે યુરિયા મળતું નથી. ખાતર ડેપો પર લાંબી કતારો લાગે છે, તેમ છતાં યુરિયા ઉપલબ્ધ નથી, જેના કારણે ખેડૂતો નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં યુરિયાની તંગી: 8800 મેટ્રિક ટન જથ્થો હજુ આવ્યો નથી
ન્યૂઝીલેન્ડમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી એલર્ટ જાહેર
ન્યૂઝીલેન્ડના દક્ષિણ દ્વીપ (South Island)ના પશ્ચિમ કિનારે 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના તીવ્ર આંચકા બાદ તટીય વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ Te Anau શહેરથી લગભગ 42 કિલોમીટર દૂર 76.4 કિલોમીટરની ઊંડાઈએ હતું. લોકોને તાત્કાલિક ઊંચા સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોએ સમય બગાડ્યા વિના સુરક્ષિત સ્થાનો પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી એલર્ટ જાહેર
ભારતનો મોટો નિર્ણય: બળજબરી મજૂરીથી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ.
ભારતે વિદેશ વ્યાપાર નીતિમાં નોંધપાત્ર ફેરફાર કરીને બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour) થી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની કાનૂની જોગવાઈ ઉમેરી છે. આ પગલું વૈશ્વિક માનવાધિકારના ધોરણો, પારદર્શક સપ્લાય ચેઈન અને જવાબદાર વ્યાપાર (Responsible Trade) ને પ્રોત્સાહન આપશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ને આવા ઉત્પાદનોની તપાસ અને આયાત પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપવામાં આવી છે. પ્રથમ વખત બળજબરીપૂર્વકની મજૂરીની સ્પષ્ટ વ્યાખ્યા પણ સામેલ કરાઈ છે.
ભારતનો મોટો નિર્ણય: બળજબરી મજૂરીથી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ.
રશિયા ભારત પાસેથી પેટ્રોલ ખરીદશે?
યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં બદલાવ આવ્યો છે. અત્યાર સુધી ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર રશિયા, હવે ભારત પાસેથી રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (પેટ્રોલ-ડીઝલ) ખરીદી રહ્યું છે. રશિયાની રિફાઇનરીઓ પર યુક્રેનના ડ્રોન હુમલાને કારણે તેની રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન થયું છે, જેના લીધે સ્થાનિક સ્તરે ઇંધણની અછત સર્જાઈ છે. રશિયાનું ગેસોલિન ઉત્પાદન છેલ્લા 21 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. આ સ્થિતિમાં, રશિયા દર મહિને ભારત પાસેથી 4,000,000 ટન ઇંધણ આયાત કરવાની યોજના ધરાવે છે. ગુજરાતની 'નાયારા એનર્જી' રિફાઇનરી દ્વારા આ વેપાર થઈ રહ્યો છે, જે ભારતીય રિફાઇનર્સ માટે મોટી કમાણીની તક છે.
રશિયા ભારત પાસેથી પેટ્રોલ ખરીદશે?
અષાઢી બીજે અમરેલીમાં મેઘમહેર: શહેરમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ફરી સક્રિય થયેલા વરસાદી માહોલ વચ્ચે, અષાઢી બીજના દિવસે અમરેલીના જાફરાબાદ, રાજુલા, લાઠી સહિતના અનેક પંથકોમાં મેઘમહેર જોવા મળી. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા જેવા ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો. લાઠી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી.
અષાઢી બીજે અમરેલીમાં મેઘમહેર: શહેરમાં ધોધમાર વરસાદ
જામનગરમાં જળશંકટને હળવું કરવા માટે મહાનગરપાલિકાની 'સૌની યોજના'
જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જળસંકટ સર્જાયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા, જામનગર મહાનગરપાલિકા 'સૌની યોજના' દ્વારા મચ્છુ-૨ ડેમમાંથી 550 MCFT પાણી સસોઈ, ઊંડ-1, અને આજી-3 ડેમોમાં ઠાલવશે. હાલમાં, શહેરની 7 લાખની વસ્તી માટે દરરોજ 150 એમએલડી પાણી અપાય છે, જે રણજીતસાગર, ઊંડ-1, સસોઈ, આજી-3 ડેમ અને નર્મદા લાઇનમાંથી આવે છે. રણજીતસાગરમાં ઓગસ્ટના અંત સુધી અને અન્ય ડેમોમાં જુલાઈના અંત સુધી પાણી રહેવાની શક્યતા છે. આ નિર્ણય શહેરમાં જળસંકટ ટાળવા માટે લેવાયો છે.
જામનગરમાં જળશંકટને હળવું કરવા માટે મહાનગરપાલિકાની 'સૌની યોજના'
જામનગર જિલ્લામાં અષાઢી બીજ સૂકી રહી, મેઘરાજાની રાહ યથાવત
હાલારી નવા વર્ષ અને અષાઢી બીજ જેવા પવિત્ર તહેવારો પર મેઘરાજાના આગમનની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, જામનગર શહેરમાં માત્ર અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા, જ્યારે મોટાભાગના વિસ્તારો કોરા ધાકોડ રહ્યા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું નોંધાયું. લાલપુરમાં 8 mm, ધ્રોલમાં 4 mm અને કાલાવડમાં 1 mm વરસાદ થયો, જ્યારે જામનગર, જોડિયા અને જામજોધપુર તાલુકામાં વરસાદ શૂન્ય રહ્યો. વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે અને ભેજનો અભાવ સર્જાઈ રહ્યો છે. નાગરિકો બફારાથી પરેશાન છે.
જામનગર જિલ્લામાં અષાઢી બીજ સૂકી રહી, મેઘરાજાની રાહ યથાવત
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર જ નહીં પડે?
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે, ખાડી દેશો જેમ કે UAE, ઈરાક અને સાઉદી અરેબિયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિર્ભરતા ઘટાડવા માટે મહત્વાકાંક્ષી વૈકલ્પિક યોજનાઓ પર કામ કરી રહ્યા છે. આનાથી તેમના તેલ નિકાસને સુરક્ષિત રાખવામાં મદદ મળશે અને ઈરાનના પ્રભાવને મર્યાદિત કરી શકાશે. 2027 સુધીમાં, આ યોજનાઓ દ્વારા કુલ નિકાસનો 45% હિસ્સો વૈકલ્પિક માર્ગોથી મોકલી શકાશે, જે દરરોજ 73 લાખ બેરલ તેલની હેરફેર માટે નવી પાઇપલાઇનો અને પોર્ટ્સનું નિર્માણ કરશે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર જ નહીં પડે?
ગુજરાતમાં શિપબિલ્ડિંગ અને રિપેર ક્લસ્ટરને મંજૂરી
ગુજરાતના દરિયાકાંઠે શિપ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે. પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા પોરબંદર અને વાડીનાર ખાતે મોટા પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. વાડીનાર ખાતે 1570 કરોડના ખર્ચે શિપ રિપેર ફેસિલિટી બનશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતના દરિયાઈ માળખાગત સુવિધાઓ અને ક્ષમતામાં વધારો કરશે. પોરબંદર ખાતે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરનું નિર્માણ નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-ગુજરાત દ્વારા થશે. આ પ્રોજેક્ટ્સ રોજગારીની નવી તકો પણ ઉભી કરશે.
ગુજરાતમાં શિપબિલ્ડિંગ અને રિપેર ક્લસ્ટરને મંજૂરી
સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મિલકત વેરામાં એક વર્ષની માફી
સુરતમાં ભારે વરસાદથી થયેલા પૂરને કારણે થયેલા આર્થિક નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા પુન:વસન સહાય પેકેજ જાહેર કરાયું છે. આ પેકેજ અંતર્ગત, અસરગ્રસ્ત વિસ્તારોમાં લારી, કેબિન અને દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય ચૂકવાશે. જે વેપારીઓએ ત્રિ-માસિક GST રિટર્ન ભર્યા હોય તેમને ₹1 લાખ સુધીની રોકડ સહાય મળશે. ઉપરાંત, પાકી દુકાનો માટે 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે લોન સહાય પણ આપવામાં આવશે. સુરત શહેરના રહેણાંક અને વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષ માટે મિલકત વેરામાં માફી આપવામાં આવી છે.
સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મિલકત વેરામાં એક વર્ષની માફી
આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા!
PM Kisan Yojana ના લાખો લાભાર્થી ખેડૂતો 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે ₹6,000 ત્રણ હપ્તામાં મળે છે. અત્યાર સુધી 23 હપ્તા જમા થઈ ચૂક્યા છે. આગામી 24મો હપ્તો સપ્ટેમ્બર-નવેમ્બર વચ્ચે આવી શકે છે. હપ્તો મેળવવા માટે e-KYC પૂર્ણ કરવું, બેન્ક ખાતાને આધાર સાથે લિન્ક કરી DBT ઈનેબલ કરાવવું અને જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવી અનિવાર્ય છે. આ કાર્યો પૂર્ણ ન કરનાર ખેડૂતોના પૈસા અટકી શકે છે.
આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા!
ભારતે ડીઝલ અને જેટ ફ્યુઅલ નિકાસ પર ટેક્સ વધાર્યો
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા, ભારતે ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF)ની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. ડીઝલ પરનો ટેક્સ 8.5 રૂપિયાથી વધીને 15.50 રૂપિયા પ્રતિ લિટર અને ATF પર 7.50 રૂપિયાથી વધીને 14.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઇંધણની તંગી અને મોંઘવારીને અટકાવવાનો છે, જેથી સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે.
ભારતે ડીઝલ અને જેટ ફ્યુઅલ નિકાસ પર ટેક્સ વધાર્યો
AI ના કારણે IBM ને ૭૦ અબજ ડોલરનો જંગી ફટકો
IBM ના શેરમાં ૨૫% થી વધુનો ઘટાડો જોવા મળ્યો, જે ૧૯૮૭ ના 'બ્લેક મંડે' કરતા પણ મોટો છે. કંપનીએ નબળી ત્રિમાસિક કામગીરી સ્વીકારી અને કમાણી પર વધુ મોટી અસર પડશે તેવી ચેતવણી આપી. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ થતા ઝડપી બદલાવ સાથે તાલ મિલાવવામાં નિષ્ફળતા IBM માટે ૭૦ અબજ ડોલરના નુકસાનનું કારણ બની. વ્યવસાયો એન્ટરપ્રાઇઝ સોફ્ટવેરમાંથી ખર્ચ ઘટાડી AI હાર્ડવેર ખરીદવા તરફ વળ્યા છે.
AI ના કારણે IBM ને ૭૦ અબજ ડોલરનો જંગી ફટકો
ભારતની ટોચની ૧૦૦ બ્રાન્ડ્સનું મૂલ્ય ૭% વધીને ૨૫૨.૮ બિલિયન ડોલર થયું
૨૦૨૬માં ભારતની ટોચની ૧૦૦ બ્રાન્ડ્સનું સામૂહિક બ્રાન્ડ મૂલ્ય ૨૫૨.૮ બિલિયન ડોલર નોંધાયું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં ૭% વધુ છે. Brand Finance India ૧૦૦-૨૦૨૬ રિપોર્ટ મુજબ, પડકારજનક વૈશ્વિક વાતાવરણ છતાં ટોચની ૧૦ બ્રાન્ડ્સમાંથી નવ બ્રાન્ડ્સે વૃદ્ધિ જોઈ છે. ટાટા ગુ્રપ સતત ૧૦મા વર્ષે ૩૩.૬ બિલિયન ડોલર સાથે સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. ઇન્ફોસિસ ૧૬.૪ બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. LIC ગુ્રપ ૧૫.૩ બિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. HDFC ગુ્રપ ૧૩.૯ બિલિયન ડોલર, Reliance ગુ્રપ ૧૦.૮ બિલિયન ડોલર અને SBI ગુ્રપ ૯.૮ બિલિયન ડોલર સાથે ટોચની બ્રાન્ડ્સમાં સામેલ છે.
ભારતની ટોચની ૧૦૦ બ્રાન્ડ્સનું મૂલ્ય ૭% વધીને ૨૫૨.૮ બિલિયન ડોલર થયું
જૂનમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનો કેશ હોલ્ડિંગ ૧૯ મહિનાના નીચા સ્તરે
સમાપ્ત થયેલા જૂન મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પાસે હાથમાં રોકડની માત્રા ઘટીને ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. ભારતીય ઈક્વિટી બજારમાં સ્થિરતા અને ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે ફંડ હાઉસો ફરીથી ઈક્વિટીમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. જૂનમાં ફંડ્સનું કેશ હોલ્ડિંગ ઘટીને રૂપિયા ૧.૮૪ લાખ કરોડ થયું, જે નવેમ્બર ૨૦૨૪ પછીનું સૌથી નીચું સ્તર છે. ફંડ્સની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) વધીને રૂપિયા ૮૨.૦૫ લાખ કરોડ થઈ છે.
જૂનમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનો કેશ હોલ્ડિંગ ૧૯ મહિનાના નીચા સ્તરે
રાજકોટમાં વરસાદનો અભાવ
રાજકોટમાં વરસાદની ઘટ પાછળ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમનો અભાવ, ભેજવાળા પવનોનું દક્ષિણ તરફ ફંટાવવું અને ઓફ-શોર ટ્રફનું નબળું પડવું જેવા કારણો છે. આ કારણે વાદળો બનવા છતાં વરસાદ રાજકોટ સુધી પહોંચી શકતો નથી. ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જે ચિંતાજનક છે. આગામી 20 જુલાઈ સુધી છૂટોછવાયો વરસાદની શક્યતા છે, જ્યારે 25-31 જુલાઈ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.
રાજકોટમાં વરસાદનો અભાવ
કચ્છના બન્નીમાં દુષ્કાળ: મોંઘી ભેંસો ભૂખમરાનો શિકાર
કચ્છના બન્ની પંથકમાં વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પશુઓ ભૂખમરાનો શિકાર બની રહ્યા છે. અત્યાર સુધીમાં માત્ર 2% જ વરસાદ થયો છે, જ્યારે બન્ની વિસ્તારમાં તો હજુ વરસાદ પડ્યો જ નથી. પ્રખ્યાત બન્ની નસલની ભેંસો, જેની કિંમત લાખો રૂપિયામાં છે, તે આજે ઘાસ અને પાણી માટે વલખાં મારી રહી છે. ચરિયાણ સાવ ખતમ થઈ ગયું છે અને દૂધ ઉત્પાદનમાં 50% ઘટાડો થયો છે. ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેથી પશુઓને જીવતા રાખવા મુશ્કેલ બન્યું છે. સરાડા ગામમાં છેલ્લા 5 દિવસથી પાણીની પણ અછત છે.
કચ્છના બન્નીમાં દુષ્કાળ: મોંઘી ભેંસો ભૂખમરાનો શિકાર
વડોદરાના વાઘોડિયા નગરમાં એક સપ્તાહના વિરામ બાદ બુધવારે વરસાદી ઝાપટું પડયું
વાઘોડિયા નગરમાં છેલ્લાં ઘણા સમયથી ભારે ઊકળાટ અને બફરા વચ્ચે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા, આજે બુધવારે સવારના 11:00 વાગે એકાએક વાદળોની ફેજ ઘસી આવી હતી અને જોત જોતામાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, માત્ર 10 મિનિટ વરસાદી ઝાપટું પડી મેઘરાજા ગાયબ થઈ જતાં પુનઃ ગરમી અને ઉકળાટ વ્યાપી ગયો હતો. માત્ર દસ મિનિટના વરસાદમાં પણ નગરના મુખ્ય બજારમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં.
વડોદરાના વાઘોડિયા નગરમાં એક સપ્તાહના વિરામ બાદ બુધવારે વરસાદી ઝાપટું પડયું
શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ: રોકાણકારો માટે લાર્જકેપ શેરોમાં વેચવાલી અને સાવચેતી
બુધવારે ભારતીય શેરબજારમાં શરૂઆત મજબૂત રહી હતી, વૈશ્વિક સંકેતો, બેન્કિંગ અને IT ક્ષેત્રમાં માંગ તેમજ સ્થાનિક રોકાણકારોની ખરીદીના કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. જોકે, દિવસ આગળ વધતાં ઊંચા સ્તરે નફાવસૂલી શરૂ થઈ. લાર્જકેપ શેરોમાં વેચવાલી વધતાં શરૂઆતની તેજી ધીમી પડી અને બજાર નકારાત્મક ઝોનમાં સરકી ગયું. આ દર્શાવે છે કે ટૂંકા ગાળામાં ઊંચે વેચવાલીનું દબાણ યથાવત્ છે. રોકાણકારોએ ગુણવત્તાસભર કંપનીઓમાં તબક્કાવાર રોકાણ અને જોખમ સંચાલન કરવું જોઈએ.
શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ: રોકાણકારો માટે લાર્જકેપ શેરોમાં વેચવાલી અને સાવચેતી
પ્રસિદ્ધિ વિરુદ્ધ પ્રતિષ્ઠા: તમારી બ્રાન્ડને મજબૂત બનાવવાના બિઝનેસ પાઠ
બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ હિરવ શાહ સમજાવે છે કે પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા એક જ નથી. પ્રસિદ્ધિ ધ્યાન ખેંચે છે, જ્યારે પ્રતિષ્ઠા વિશ્વાસ બનાવે છે. પ્રખ્યાત રેસ્ટોરન્ટનું ઉદાહરણ દર્શાવે છે કે કેવી રીતે પ્રસિદ્ધિ ગ્રાહકોને લાવી શકે છે, પરંતુ પ્રતિષ્ઠા તેમને પાછા આવવા માટે પ્રેરિત કરે છે. માર્કેટિંગ દૃશ્યતા વધારે છે, પરંતુ સતત ગુણવત્તા, સારો ગ્રાહક અનુભવ અને વિશ્વસનીયતા લાંબા ગાળાની પ્રતિષ્ઠા બનાવે છે. પ્રસિદ્ધિ ઝડપથી બની શકે છે, પરંતુ પ્રતિષ્ઠા કમાવવી પડે છે. પ્રસિદ્ધિ એકવાર ગ્રાહક લાવે છે, જ્યારે પ્રતિષ્ઠા તેમને વારંવાર પાછા લાવે છે.
પ્રસિદ્ધિ વિરુદ્ધ પ્રતિષ્ઠા: તમારી બ્રાન્ડને મજબૂત બનાવવાના બિઝનેસ પાઠ
ગ્રાહકો શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરતા ઉત્પાદન માટે જ ચૂકવણી કરે છે
દરેક વ્યવસાય, તેના કદ કે ઉદ્યોગને ધ્યાનમાં લીધા વિના, નિર્ણયો લે છે. મેનેજમેન્ટની સાચી કસોટી એ નથી કે ભૂલો થાય છે કે નહીં, પરંતુ તેમાંથી કેવી રીતે ફરીથી બેઠા થાય છે. એક મહત્વપૂર્ણ નૈતિક પ્રશ્ન એ છે કે, નફાકારકતા પછી, શું ભૂતકાળના નુકસાનને વર્તમાન ગ્રાહકો પાસેથી વસૂલવું વાજબી છે? ગ્રાહકો આજે મળેલા મૂલ્યના આધારે ખરીદી કરે છે, ભૂતકાળની મેનેજમેન્ટની ભૂલોની ભરપાઈ કરવા નહીં. જો કંપની ફક્ત નબળા વ્યૂહાત્મક નિર્ણયોથી થયેલું નુકસાન વસૂલવા કિંમતો વધારે, તો તે ગ્રાહકનો વિશ્વાસ ગુમાવી શકે છે.
ગ્રાહકો શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરતા ઉત્પાદન માટે જ ચૂકવણી કરે છે
મહારાષ્ટ્રના ખેડૂતોને રૂ.48 હજાર કરોડની રાહત!
મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના બાકી વીજ બિલ સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ડિફોલ્ટર ખેડૂતોના અટકેલા નવા વીજ જોડાણો ફરી શરૂ થશે. રાજ્યમાં 7.5 હોર્સપાવર સુધીના કૃષિ પંપ માટે પહેલેથી વીજ બિલ માફ છે. સરકાર દર વર્ષે ₹25 હજાર કરોડની વીજ સબસિડી આપે છે. સોલાર યોજનાઓ, નવી જળ પરિયોજનાઓ, 24 ડેમ અને સિંચાઈ ક્ષમતા વધારી ખેતીને નફાકારક તથા દુષ્કાળમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
મહારાષ્ટ્રના ખેડૂતોને રૂ.48 હજાર કરોડની રાહત!
રથયાત્રા સમયે મેઘરાજા જગન્નાથજી પર કરશે જળાભિષેક?
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થવાના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને કારણે રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની IMD દ્વારા આગાહી કરવામાં આવી છે. 16 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, અને આ આગાહી જોતાં રથયાત્રા દરમિયાન વરસાદી માહોલ સર્જાવાની અને જાણે મેઘરાજા જગન્નાથજી પર જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે.
રથયાત્રા સમયે મેઘરાજા જગન્નાથજી પર કરશે જળાભિષેક?
દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ
દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડતાં ઉત્તર ભારતમાં ગરમી અને ઉકળાટ વધ્યો છે, જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. IMDએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઍલર્ટ આપ્યું છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પુરીની રથયાત્રા પર લો-પ્રેશરની અસર પડી શકે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.