ઝાલાવાડમાં CBDC ઈ-રૂપિયાથી અનાજ વિતરણ
ઝાલાવાડમાં CBDC ઈ-રૂપિયાથી અનાજ વિતરણ
Published on: 04th August, 2026

રાજ્ય સરકાર હવે સાર્વજનિક વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા CBDC ઈ-રૂપિયાનો ઉપયોગ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦,૪૨,૨૭૬ લાભાર્થીઓને આ નવીન ડિજિટલ પ્રણાલીનો લાભ મળશે. હવે બાયોમેટ્રિક ખામીઓ અને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. સ્માર્ટફોન યુઝર્સ QR કોડ અને સાદા ફોન યુઝર્સ OTP દ્વારા ક્ષણભરમાં અનાજ મેળવી શકશે. આ વ્યવસ્થા વચેટિયાઓને દૂર કરીને સરકારી સબસિડીનો લાભ સીધો લાભાર્થી સુધી પહોંચાડશે.