શું અનુષ્કાને કારણે વિરાટ કોહલી આસ્થા તરફ વળ્યો?
શું અનુષ્કાને કારણે વિરાટ કોહલી આસ્થા તરફ વળ્યો?
Published on: 05th August, 2026

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી એ વિરાટ કોહલી અને અનુષ્કાની વૃંદાવન યાત્રા અંગે થયેલી ચર્ચાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શમીએ જણાવ્યું કે વિરાટ કોહલી પોતાની આસ્થાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને જે બાબતમાં વિશ્વાસ રાખે છે, તેને પૂરી પ્રામાણિકતાથી નિભાવે છે. કોઈ વ્યક્તિના વિશ્વાસ કે ધાર્મિક આસ્થા પર સવાલ ઉઠાવવાનું કોઈ કારણ ન હોવું જોઈએ, તે તેમનો અંગત નિર્ણય છે. શું અનુષ્કાએ વિરાટ કોહલીની આધ્યાત્મિક યાત્રાને પ્રભાવિત કરી છે તે અંગે પૂછતાં શમીએ કહ્યું કે પતિ-પત્ની સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય તેમાં કંઈ ખોટું નથી.