મનીષા કોઈરાલાની ભારત-ચીનને ભાવુક અપીલ
મનીષા કોઈરાલાની ભારત-ચીનને ભાવુક અપીલ
Published on: 31st August, 2026

નેપાળ હાલમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનની કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે અને હજારો ગુમ છે. અભિનેત્રી મનીષા કોઇરાલાએ ભારત, ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે મળીને મદદ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે નેપાળની ઓળખ માત્ર આફતોથી ઘેરાયેલા દેશ તરીકે ન હોવી જોઈએ. પ્રવાસન (ટૂરિઝમ) એ નેપાળની અર્થવ્યવસ્થાની જીવાદોરી છે, અને તેથી વૈશ્વિક સમુદાયને નેપાળની મુલાકાત ચાલુ રાખવા વિનંતી કરી છે.