ભારતીય એરપોર્ટ પરથી વિદેશ જતા મુસાફરો માટે મહત્વપૂર્ણ ફેરફાર
ભારતીય એરપોર્ટ પરથી વિદેશ જતા મુસાફરો માટે મહત્વપૂર્ણ ફેરફાર
Published on: 31st August, 2026

૧ સપ્ટેમ્બરથી ભારતીય એરપોર્ટ પરથી વિદેશ જતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રક્રિયામાં મોટો સુધારો કરવામાં આવશે. હવેથી મુસાફરોને ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન તેમના બોર્ડિંગ પાસ પર સિક્કો (સ્ટેમ્પ) લગાવવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. આ નિર્ણયથી મુસાફરોનો સમય બચશે અને પ્રક્રિયા વધુ ઝડપી બનશે. ડિજિટલ બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો માટે આ ફેરફાર ખૂબ જ રાહતરૂપ સાબિત થશે, તેમને હાર્ડ કોપી કાઢવાની જરૂર નહીં રહે.