ત્રિકોણબાગ કા રાજા: અગ્નિપથ થીમ સાથે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન
ત્રિકોણબાગ કા રાજા: અગ્નિપથ થીમ સાથે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન
Published on: 15th September, 2026

આ વર્ષે “ત્રિકોણબાગ કા રાજા” ગણેશ ઉત્સવ અગ્નિપથ થીમ પર આયોજન કરાયું છે, જેમાં દાદાના એક હાથમાં ત્રિશૂલ અને બીજામાં રાજદંડ હશે. ગણેશ ઉત્સવ દરમિયાન રાસ-ગરબા, મહાઆરતી યોજાશે. સમિતિએ પંડાલ માટે સવા કરોડનો વીમો લીધો છે. આ ઉત્સવમાં ૧ લાખથી વધુ લોકો દર્શન કરશે અને રોજ ૪૦૦થી વધુનો પ્રસાદ વિતરણ થશે. ૮ ફૂટ લંબાઈની મૂર્તિનું સ્થાપન સવારે ૧૦.૩૦ વાગ્યે કરવામાં આવ્યું. સુરક્ષા અને વ્યવસ્થા માટે ૮૫થી વધુ સેવકો કાર્યરત રહેશે.