જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપુર, દામોદર કુંડ છલકાયો
જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપુર, દામોદર કુંડ છલકાયો
Published on: 15th September, 2026

છેલ્લા 48 કલાકથી જૂનાગઢ જિલ્લામાં વ્યાપક વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા છે. માણાવદરમાં પોણો ઈંચ અને ભેસાણમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ થયેલી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ગિરનાર અને દાતાર જંગલ વિસ્તારમાં વરસાદથી કાળવા નદીમાં ભારે પુર આવ્યું છે અને દામોદર કુંડ તથા નરસિંહ મહેતા તળાવમાં નવા નીર આવ્યા છે. આનંદપુર ડેમ ઓવરફ્લો થયો છે, અને વિલીંગ્ડન અને હસનાપુર ડેમમાં પણ પાણી વધ્યું છે.