રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
Published on: 15th September, 2026

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદથી 259 તાલુકા ભીંજાઈ ગયા છે, જેમાં અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ અને જામનગર શહેરમાં 5.59 ઇંચ વરસાદ પડ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, અને પાકને ફાયદો થવાની આશા છે.