કર્લી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા મનપાએ રૂ. 31 લાખનું ત્રીજું ટેન્ડર બહાર પાડ્યું
કર્લી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા મનપાએ રૂ. 31 લાખનું ત્રીજું ટેન્ડર બહાર પાડ્યું
Published on: 05th August, 2026

પોરબંદરના કર્લી જળાશયમાં ગાંડીવેલ (જલકુંભી)ની સમસ્યા વકરી રહી છે. મનપાએ મજૂરો રોક્યા હતા, પરંતુ તેમની ધીમી ગતિના કારણે કામગીરી અટકાવી દેવાઈ. આ જળાશય વિશાળ હોવાથી માત્ર મજૂરો દ્વારા ગાંડીવેલ દૂર કરવી શક્ય નથી. આ કારણે અગાઉ થયેલો ખર્ચ અને સમય વેડફાયો. હવે, રૂ. 31 લાખના અંદાજિત ખર્ચે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ વખતે મજૂરોને બદલે મશીનરીનો ઉપયોગ કરીને આગામી 1 માસમાં જળાશય ગાંડીવેલ મુક્ત કરવાનો દાવો કરાયો છે.