હિંમતનગરની 100 વર્ષ જુની સમર્થ રામજી ધર્મશાળાને જર્જરિત હાલતમાં દૂર કરવા નોટિસ
હિંમતનગરની 100 વર્ષ જુની સમર્થ રામજી ધર્મશાળાને જર્જરિત હાલતમાં દૂર કરવા નોટિસ
Published on: 05th August, 2026

હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલ અંદાજે 100 વર્ષથી વધુ જુની સમર્થ રામજી ધર્મશાળા જર્જરિત બની જતાં સલામતીના કારણોસર નગરપાલિકાએ 40થી વધુ ભાડુઆતોને તાકીદે કબ્જો ખાલી કરવા નોટિસ પાઠવી છે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, ચોમાસામાં નબળા બાંધકામ અને પાણી ભરાવાને કારણે આવી ઈમારતો ધરાશાયી થવાનો ભય રહે છે. જેથી જાનહાની ટાળવા આ કાર્યવાહી જરૂરી છે. નગરપાલિકા શહેરમાં અન્ય જોખમી ઇમારતોનો પણ સર્વે કરી જરૂર પડ્યે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે.