બનાસકાંઠાના વાવ પંથકમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો
બનાસકાંઠાના વાવ પંથકમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો
Published on: 05th August, 2026

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ખીમાણાવાસ ગામની સતી માતાજીના મંદિરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ વાવ પોલીસે ઉકેલી દીધો છે. પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અને વાવ પીઆઇ એસ.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ, પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ફિંગરપ્રિન્ટ્સની મદદથી તપાસ કરી. આ ગુનામાં દિનેશ શંકરભાઈ વેણ અને જામા ગોવિંદભાઈ મકવાણા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરાયેલ રોકડ, સોના-ચાંદીના દાગીના, ગુનામાં વપરાયેલ બાઈક અને ઘરફોડ માટેના સાધનો મળી કુલ રૂ. 2,64,899 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.