સારી ઉપજની આશાએ ખેડૂતોએ શરૂ કરી વાવણી, મન મૂકીને વરસ્યા મેઘરાજા
સારી ઉપજની આશાએ ખેડૂતોએ શરૂ કરી વાવણી, મન મૂકીને વરસ્યા મેઘરાજા
Published on: 23rd June, 2026

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન ન થયું હોવા છતાં, પંચમહાલ જિલ્લામાં થયેલા સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. મોંઘવારી અને સતત બદલાતા વાતાવરણ વચ્ચે પણ, આ વર્ષે સારી ઉપજ અને આવકની આશા સાથે ખેડૂતો ખેતી કાર્યોમાં જોતરાયા છે. સિંચાઈની સુવિધાના અભાવે ચોમાસા પર નિર્ભર રહેતા આ વિસ્તારના ખેડૂતો, ડાંગર, મકાઈ, કપાસ અને તુવેર જેવી મુખ્ય ખેતી કરે છે. ગત વર્ષે થયેલા નુકસાન અને વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને, તેઓ સારા વરસાદ અને પોષણક્ષમ ભાવની આશા સાથે ખેતીના શ્રીગણેશ કરી રહ્યા છે.