ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ: 108 કળશ જળાભિષેક
ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ: 108 કળશ જળાભિષેક
Published on: 29th June, 2026

અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પહેલા, પરંપરાગત 'જળયાત્રા મહોત્સવ'નો શુભારંભ થયો છે. ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમાલપુરથી પ્રસ્થાન થયેલી આ યાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચશે, જ્યાં સાબરમતી નદીનું પવિત્ર જળ 108 કળશમાં ભરી મંદિરે લાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો ગજવેશમાં ભવ્ય જળાભિષેક કરાશે. સુરક્ષા માટે 500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે અને ઢોલ-નગારા પર પ્રતિબંધ છે.