સરકારની કબૂલાત: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના સુરતમાં થયું મેગા ડિમોલિશન!
સરકારની કબૂલાત: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના સુરતમાં થયું મેગા ડિમોલિશન!
Published on: 29th June, 2026

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે મકાનો કોઈ સત્તાવાર મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા હતા. ટોરેન્ટ પાવરે જણાવ્યું કે તેમને માત્ર ટેલિફોનિક સૂચના મળી હતી. હાઈકોર્ટે કોર્પોરેશન અને અધિકારીઓની ભૂમિકા પર આકરા સવાલો ઉઠાવી કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહી બદલ ઠપકો આપ્યો. સરકારે તપાસ શરૂ હોવાનું જણાવ્યું છે, જ્યારે 26 પીડિતોએ રાજ્ય સરકાર, મનપા, પોલીસ અને ટોરેન્ટ પાવર સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.