જેતપુર રણુજા ધામ મંદિરના મહંતનો કેન્સરની પીડાથી કંટાળી આપઘાત
જેતપુર રણુજા ધામ મંદિરના મહંતનો કેન્સરની પીડાથી કંટાળી આપઘાત
Published on: 29th June, 2026

રાજકોટ જિલ્લાના જેતપુર સ્થિત પ્રસિદ્ધ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ કેન્સરની અસહ્ય પીડાથી કંટાળી આપઘાત કર્યો. તેમની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા અને શરીરમાં ફેલાયેલી બીમારીના કારણે થતું દર્દ સહન કરવું અશક્ય બન્યું હતું. મૂળ મીઠાપુરના વતની કરસનદાસ બાપુ 47 વર્ષ પહેલાં પરિવારનો ત્યાગ કરીને સંન્યાસી બન્યા હતા અને છેલ્લા 45 વર્ષથી મંદિરની સેવા કરતા હતા. પોલીસે મૃતદેહ અને સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.