છોટાઉદેપુર ખાતે ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા પુરાવાની કામગીરી શરૂ
છોટાઉદેપુર ખાતે ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા પુરાવાની કામગીરી શરૂ
Published on: 20th August, 2026

છોટાઉદેપુર નજીક નેશનલ હાઈવે 56 પર મધ્યપ્રદેશને જોડતા ઓરસંગ નદીના બ્રિજ પર ચોમાસા દરમિયાન મોટા ખાડા પડવાની સમસ્યાથી વાહનચાલકો હેરાન પરેશાન હતા. આ કારણે અકસ્માતનો ભય રહેતો હતો. તાજેતરમાં કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ પરના ઊંડા ખાડાઓ પુરાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે અને અકસ્માતનો ભય ટળશે. તેમ છતાં, 30 ટનથી વધુ વજનના વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે.