ભરુચના વાલિયા મહિલા કોલેજમાં વારલી આર્ટ પર માર્ગદર્શન કાર્યક્રમ
ભરુચના વાલિયા મહિલા કોલેજમાં વારલી આર્ટ પર માર્ગદર્શન કાર્યક્રમ
Published on: 20th August, 2026

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાં ST/SC સેલ, અર્થશાસ્ત્ર્ર વિભાગ અને વિમેન્સ સેલ દ્વારા સ્ટુડન્ટ મેન્ટરશીપ કાર્યક્રમ યોજાયો. અર્થશાસ્ત્ર્ર વિભાગની વિદ્યાર્થીની સ્નેહા વસાવાએ વારલી આર્ટમાં પોતાની પ્રતિભા દર્શાવી. તેમણે પોતાની કલાત્મક યાત્રા, વિવિધ પેઇન્ટિંગ્સ અને ચંદ્રયાન આધારિત કૃતિ વિશે માહિતી આપી. તેમની એક કૃતિ PM Narendra Modi એ સ્વીકારી હતી અને ચંદ્રયાન આધારિત કૃતિને પેટન્ટ મળ્યું. સ્નેહાએ વારલી કળાને ઉપયોગી વસ્તુઓ સાથે જોડી કૌશલ્ય વિકાસ અને આવક વૃદ્ધિ અંગે માર્ગદર્શન આપ્યું.