વરસાદી પાણીના નિકાલની તાકીદની માંગ
વરસાદી પાણીના નિકાલની તાકીદની માંગ
Published on: 07th August, 2026

વઢવાણના પ્રાણગઢ ગામના ખેતરોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે બાગાયતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ૧૫ ખેતરોમાં પાણી ભરાતા ૧૫૦ વીઘાનો પાક નષ્ટ થવાની સ્થિતિમાં છે. નગરા ગામના કેટલાક લોકો દ્વારા પાણીનો નિકાલ પ્રાણગઢ તરફ વાળવાથી મુખ્ય રોડ પરના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેડૂતોએ કલેક્ટરને પાણી નિકાલની વ્યવસ્થા કરવા અપીલ કરી છે. લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી રોગચાળો અને પર્યાવરણને નુકસાન થવાનો પણ ખતરો છે.