ખેડા: નડિયાદ-મોડાસા રેલવે ફાટક પર સમારકામ, વાહનવ્યવહાર પર પ્રતિબંધ
ખેડા: નડિયાદ-મોડાસા રેલવે ફાટક પર સમારકામ, વાહનવ્યવહાર પર પ્રતિબંધ
Published on: 07th August, 2026

નડીઆદ-મોડાસા રેલવે લાઇન પર સોનીપુરા ગામ પાસેના ફાટક નંબર-57ના સમારકામને કારણે 7 ઓગસ્ટ સવારે 8 થી 8 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે. જાહેર સલામતી અને સુચારુ નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે. જાહેરનામા મુજબ, પ્રતિબંધિત માર્ગનો ઉપયોગ કરી શકાશે નહીં. મોડાસાથી આવતા વાહનો રેલીયા, પાંખીયા, કાપડીવાવ, સોરણા, લાડવેલ થઈ નડીઆદ જઈ શકશે. નડીઆદથી મોડાસા જતા વાહનો માટે પણ વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા છે. જાહેરનામાના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી થશે.