અખાત્રીજ નિમિત્તે ખેડૂતોએ પૂજા કરીને ખેતીનો વિધિવત પ્રારંભ કર્યો.
અખાત્રીજ નિમિત્તે ખેડૂતોએ પૂજા કરીને ખેતીનો વિધિવત પ્રારંભ કર્યો.
Published on: 20th April, 2026

અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કરી, ખેતરમાં દીવો કરી, શ્રીફળ વધેરી પૂજન કર્યું. બળદ, હળ સહિત ખેતીના સાધનોનું પૂજન કરી ખેતીનું મુહૂર્ત કર્યું. ખેતીમાં સારી ઉપજ માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યુ. અખાત્રીજના દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. ભગવાન કૃષ્ણએ પાંડવોને 'અક્ષય પત્ર' અર્પણ કર્યું હતું. અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા પૂજન કરવામાં આવે છે.