વારસદ બાદ અડાલજ બેઠકમાં પણ ચૂંટણીમાં દારૂનું વેચાણ નહીં થાય એવો નિર્ણય.
વારસદ બાદ અડાલજ બેઠકમાં પણ ચૂંટણીમાં દારૂનું વેચાણ નહીં થાય એવો નિર્ણય.
Published on: 21st April, 2026

ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિકીતાબેન ઠાકોરે ચૂંટણીમાં દારૂ નહીં વહેંચવાની પ્રતિજ્ઞા લીધી. જમિયતપુરા ચામુંડા માતાજીના મંદિરે કુળદેવી સમક્ષ આ નિર્ણય લેવાયો. ઠાકોર સમાજ સહિત યુવાધનને દારૂની બદીથી બચાવવા અને લોકોમાં સારો મેસેજ જાય તે માટે આ પહેલ કરાઈ. તેઓએ નક્કી કર્યું કે વિસ્તારમાં દારૂની બદી ઘૂસવા દેશે નહીં.