Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ

ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ. રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’ નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું સ્વરૂપ હતું. ઘણી મહેનત પછી શિવલિંગનું માપ આદિ-અંત નક્કી કરી શકાયું નહીં. છેવટે બ્રહ્મા-વિષ્ણુએ સ્વીકાર્યું કે ભગવાન શિવ જ મોટા છે. બધા દેવોમાં પણ શિવ ‘મહાદેવ’ કહેવાયા. મહાશિવરાત્રિ માં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ મનાય છે, કારણકે શિવલિંગની પૂજા કરવાથી શિવ અને શક્તિ બંનેની પૂજા એક સાથે થઈ જાય છે. શિવરાત્રિ ના વ્રતની કથા શિવપુરાણમાં રુદ્રસંહિતા અંતર્ગત અધ્યાય 37માં વર્ણવેલી છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર મહાશિવરાત્રિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક સમયની વાત છે: એક શિકારી શિકાર માટે જંગલમાં ગયો. જંગલની મધ્યમાં એક બિલીનું વૃક્ષ હતું તેની નીચે શિવલિંગ સ્થાપિત હતું. શિકારી શિકારની વાટ જોતાં જોતાં અજાણતા બીલીનાં પાન તોડી તોડીને નીચે સ્થાપિત શિવલિંગ પર નાખી રહ્યો હતો અને આ ક્રિયા સતત ચાર પ્રહર સુધી ચાલુ રહી. આમ, અજાણતાં જ શિકારીથી રાત્રિના ચાર પ્રહર સુધી શિવલિંગની પૂજા થઈ તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. આ રીતે શિવરાત્રિ ની પૂજા ચાર પ્રહરની પૂજા ગણવામાં આવે છે.બીજી માન્યતા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર શિવપૂજન કરવાથી મનુષ્યના આ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે. મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની તળેટીમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં દેશના વિવિધ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવે છે. આ દિવસે નીકળતા નાગાબાવાઓનુ સરઘસ કે રવાડીમાં હથિયારોના વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે. આ મેળાનું સમાપન નાગાબાવાઓ સહિત સાધુ સંતોના મૃગીકુંડમાં સ્નાનથી થાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણાં શિવાલયોની આસપાસ મેળાનું આયોજન થતું હોય છે.

15th February

Read more
મહાશિવરાત્રિ
15th February

ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ. રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’ નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.

પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા...

Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
મિરઝા ગાલીબ પુણ્યતિથિ

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા. કોઇ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વ પ્રથમ તેના રચનાકારને સમજવો પડે. 'મિરઝા ગાલીબ' ની ગઝલોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે કે તેઓ 'ગાલીબ' ના જીવનથી બહુ પરિચિત નથી હોતા. ગાલીબ જે રીતે તેમના સમયના તમામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે રીતે તેમનું જીવન પણ સામાન્ય માણસ કરતા તદ્દન નોખું હતું. એટલે જ 'ગાલીબ'ની ગઝલોનો અંદાજ પણ અલગ હતો. ગાલીબના જીવને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેમની રચનાઓ પર જોવા મળી છે . તેઓ પરંપરામાથી મુક્ત થઇને આધુનિક જીવન શૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ અને આધ્યાત્મ રહ્યા હતા. ઉર્દૂમાં તેઓએ આશરે ૨૩૫ જેટલી ગઝલો લખી છે. તેમને દબીર-ઉલ-મુલ્ક અને નઝમ-ઉદ-દૌલાનું બિરુદ મળ્યું હતું. ૧૫ ફેબ્રુઆરી,૧૮૬૯ ના રોજ તેમનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ૧૯૬૯માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે તેમની ૨૨૦મી જન્મ તિથી નિમિત્તે ગુગલે તેમને ગુગલ ડુડલ સ્વરૂપે યાદ કર્યા હતા.

15th February

Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
15th February

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા.

કોઇ કવિતા કે ગઝલને સમજવી...

Read more