શાળા પ્રવેશોત્સવ:સાબરકાંઠામાં 26 થી 28 જૂન શાળા પ્રવેશોત્સવ
Published on: 15th June, 2025
ગુજરાત રાજય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તથા બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવા માટે આગામી તા. 26 જૂથી 28 જૂન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 નું આયોજન કરાયું છે. અગાઉ આ કાર્યક્રમ 18 થી 20 જૂન દરમિયાન યોજાવાનો હતો પરંતુ ગ્રામ પંચાયત ની ચૂંટણી ના કારણે આ તારીખોમાં ફેરફાર કરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં 99 રુટમાં 15047 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં હિંમતનગર તાલુકાના 20 રૂટ માં 2981, પ્રાંતિજ તાલુકાના 12 રૂટ માં 1694, તલોદ તાલુકાના 14 રૂટ માં 1730, ઇડર તાલુકાના 17 રૂટ માં 2454, વડાલી તાલુકાના 7 રૂટ માં 824, ખેડબ્રહ્મા તાલુકાના 12 રૂટ માં 2345, પોશીના તાલુકાના 9 રૂટ માં 1793 તથા વિજયનગર તાલુકાના 8 રૂટ માં 1228 બાળકોને બાલવાટિકા માં પ્રવેશ આપવામાં આવશે. જેમાં હિંમતનગર તાલુકામાં સૌથી વધારે 2981 બાળકોને તથા વડાલી તાલુકામાં સૌથી ઓછા 824 બાળકોને બાલવાટિકા માં પ્રવેશ આપવામાં આવશે.