Menu
ઇન્ડો-કેનેડિયન ફેલોશિપ હેઠળ કેનેડાના વિદ્યાર્થી શ્રીકૃષ્ણ અને હિન્દુ ધર્મનું અધ્યયન કરશે
ઇન્ડો-કેનેડિયન ફેલોશિપ હેઠળ કેનેડાના વિદ્યાર્થી શ્રીકૃષ્ણ અને હિન્દુ ધર્મનું અધ્યયન કરશે
Published on: 15th May, 2025

MS યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટમાં કેનેડાની યુનિવર્સિટી ઓફ કેલગેરીના 2 વિદ્યાર્થીઓ, ક્રિશ સ્મિર્ત્ઝ અને જેસેફ ડફી, ઇન્ડો-કેનેડિયન શાસ્ત્રી ફેલોશિપ હેઠળ 5 અઠવાડિયાં માટે સંસ્કૃત ભાષા શીખી હસ્તપ્રતો અને પુરાણોનું અભ્યાસ કરશે. ક્રિશ હરિવંશ પુરાણમાં ભગવાન કૃષ્ણના ચરિત્ર અને ભક્તિના વિકાસનું વિશ્લેષણ કરશે, જ્યારે જોસેફ બ્રહ્મ પુરાણ અને સરસ્વતી પુરાણમાં પુષ્કર શહેર અને બ્રહ્માજી મંદિરનું ભૌગોલિક અભ્યાસ કરશે. તેઓ ભારતીય અને પાશ્ચાત્ય સંશોધનો, હસ્તપ્રતો અને સંસ્કૃત વૈજ્ઞાનિક ગ્રંથોના અભ્યાસ સાથે હિન્દુ ધર્મને સમજશે.