Menu
દમણમાં સાંજે 5 વાગ્યે યોજાશે તિરંગા યાત્રા: રિટાયર્ડ જવાનો દ્વારા સેનાને સલામી આપવા ખાસ આયોજન
દમણમાં સાંજે 5 વાગ્યે યોજાશે તિરંગા યાત્રા: રિટાયર્ડ જવાનો દ્વારા સેનાને સલામી આપવા ખાસ આયોજન
Published on: 14th May, 2025

દમણમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા આજે સાંજે 5 વાગ્યે નાની દમણ મશાલ ચોકથી વિશેષ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રિટાયર્ડ સૈનિકોના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રા મુખ્ય માર્ગો વડે બસ સ્ટેન્ડ પર સમાપ્ત થશે. ભૂતપૂર્વ સૈનિકોએ નાગરિકોને યાત્રામાં ભાગ લેવા અપીલ કરી છે, જેમાં સેનાના સાહસ અને રાષ્ટ્રભક્તિને નમન કરાશે. ઓપરેશન સિંદૂરમાં આતંકી અડ્ડાઓ નષ્ટ કરીને ભારતે મક્કમ જવાબ આપ્યો છે. આ રેલી દ્વારા સશસ્ત્ર દળોના ઉત્કૃષ્ટ પરાક્રમને પ્રોત્સાહન આપવામાં આવશે.