Vande Bharat: કટરાથી શ્રીનગર જનારી વંદે ભારતમાં જૂન સુધી બુકિંગ ફુલ, જાણો
Published on: 13th June, 2025
ટ્રેનથી કાશ્મીર જવાનું સપનું હવે સત્ય બની ગયું છે કારણ કે કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત ટ્રેન કામગીરી શરૂ થઈ ગઈ છે, જેને પીએમ મોદીએ ઉદઘાટન કર્યું હતું. હાલ શ્રીનગરથી કટરા જતી વંદે ભારત ટ્રેનમાં 26 જૂન સુધી તમામ સીટો બુક છે. માત્ર 27 અને 28 જૂનનાં રોજ કેટલીક સીટો ઉપલબ્ધ છે, પરંતુ 3 જુલાઈથી 23 જુલાઈ સુધી ફરીથી સીટ બુક છે . આ ટ્રેન અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ છે, અને ટિકીટ મેળવવી મુશ્કેલ બની રહી છે. તેથી, રેલ્વે પ્રવાસ માટે થોડી વખત રાહ જોવી જરૂરી છે.