અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કે પછી કોઈ કાવતરું ?: વિમાનનાં મેન્ટેનન્સનું કામ ટર્કિશ કંપની પાસે હતું, ભારત-પાકિસ્તાન સંઘર્ષ સમયે તુર્કીએ પાકિસ્તાનને આપ્યો હતો ટેકો
Published on: 15th June, 2025
12 જૂનના રોજ અમદાવાદમાં ટેક ઓફ થયા પછી તરત જ એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. 12 મેના રોજ થયેલા આ પ્લેન ક્રેશમાં, એક મુસાફર સિવાય, બધા 241 લોકોનાં મોત થયા હતા. જે મેડિકલ કોલેજ કેમ્પસ માં વિમાન ક્રેશ થયું હતું ત્યાં રહેતા લોકો પણ તેનો શિકાર બન્યા હતા. આ અકસ્માત અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે, આ ભયાનક અકસ્માતનું સત્ય અકસ્માત ની તપાસ પૂર્ણ થયા પછી જ બહાર આવશે. વિમાન ક્રેશ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, જોકે, એન્જિન ફેલ થવાને કારણે આ દર્દનાક અકસ્માત થયો હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં હવે એક તુર્કી કનેક્શન પણ સામે આવ્યું છે, જે વિમાનના મેન્ટેનન્સ (જાળવણી) સાથે સંકળાયેલું છે. ટર્કિશ કંપની કરતી હતી મેન્ટેનન્સનું કામ
તુર્કીની કંપની ટર્કિશ ટેકનિક એક ગ્લોબલ એવિએશન સર્વિસ પ્રોવાઇડર છે. ભારતમાં પણ એરલાઇન્સ જેમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોનો પણ સમાવેશ થાય છે, તે આ કંપનીના ગ્રાહકો હતા. એર ઇન્ડિયા તેના બોઇંગ 777 પ્લેન મેન્ટેનન્સ, ટેકનોલોજી, પુનર્વસન અને રેટ્રોફિટ ના કામ માટે તુર્કી મોકલતી હતી. જોકે, એર ઇન્ડિયા ટર્કિશ કંપની ઉપરાંત ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ (AIESL) અને અન્ય કેટલાક દેશોમાં પણ વિમાનોનું મેન્ટેનન્સ કરાવતી હતી. ટર્કિશ ટેક્નિક પાસે બોઈંગ 787-8 ના મેન્ટેનેન્સની જવાબદારી નથી
આ બાબતો પર ચર્ચાઓ તીવ્ર બનતા, તુર્કી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તુર્કીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787-8 વિમાનનું જાળવણી ટર્કિશ ટેકનિક પાસે ન હોતું. આવા તમામ દાવાઓ સંપૂર્ણ પણે ખોટા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2024-25માં એર ઇન્ડિયા અને ટર્કિશ ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ, ખાસ કરીને B 777 પ્રકારના વાઇડ-બોડી વિમાન માટે જાળવણી સેવાઓ પૂરી પાડવા માં આવે છે. ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર આ કરારના દાયરામાં આવતું નથી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે- અમે જાણીએ છીએ કે ક્રેશ થયેલા વિમાનની જાળવણી કઈ કંપની કરી રહી હતી, આ બાબતો પર ટિપ્પણી કરવી અમારા અધિકારક્ષેત્ર ની બહાર છે. આ અકસ્માત અત્યંત દુઃખદ હતો. આ દુઃખની ઘડીમાં અમારી સંવેદના ભારતના લોકો સાથે છે. પાકિસ્તાન સંઘર્ષ બાદ કરાર સમાપ્ત
મહત્વ પૂર્ણ વાત એ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષમાં તુર્કીએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો, જેના કારણે ભારત સાથે તુર્કીનો બહિષ્કાર શરૂ થયો હતો. આને પગલે એર ઇન્ડિયાએ પણ ટર્કિશ ટેકનિક સાથેનો પોતાનો કરાર સમાપ્ત કર્યો હતો. ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુ માં, એર ઇન્ડિયાના CEO અને MD કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે કેટલાક વિમાન અગાઉ તુર્કી ટેકનિક પાસે ગયા હતા, જોકે અન્ય વિમાનો માટે તેમને વૈકલ્પિક વિકલ્પો પસંદ કરવા પડ્યા હતા. ટર્કિશ ટેકનિક શું કામ કરે છે ?
તુર્કી કંપની ટર્કિશ ટેકનિક એક ગ્લોબલ એવિએશન સર્વિસ પ્રોવાઇડર છે. ભારતમાં કેટલીક એરલાઇન્સ પણ તેની સેવાઓ લે છે. આ કંપની એર ઇન્ડિયાના બોઇંગ 777 કાફલા નું જાળવણી સંભાળે છે. જો કે, એર ઇન્ડિયા તુર્કી કંપની તેમજ ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ અને કેટલાક અન્ય દેશો પાસેથી પણ વિમાનોનું જાળવણી કરાવી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું હતું. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું હતું અને ઘણા અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે.. પ્લેન દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને 1-1 કરોડ મળશે: TATA:પેસેન્જર્સ ની સાથે ક્રૂ-મેમ્બર, મેડિકલ સ્ટાફ સહિત બધા મૃતકોના પરિવારને સહાય ચૂકવાશે