Menu
મોડાસામાં વડ સાવિત્રી વ્રતની ભક્તિ પૂર્વક ઉજવણી, ઓધરીમાતા મંદિરની 108 વાર પરિક્રમા કરી પ્રાર્થના કરી
મોડાસામાં વડ સાવિત્રી વ્રતની ભક્તિ પૂર્વક ઉજવણી, ઓધરીમાતા મંદિરની 108 વાર પરિક્રમા કરી પ્રાર્થના કરી
Published on: 10th June, 2025

જેઠ સુદ પૂર્ણિમાના દિવસે મોડાસાના ઓધારિમાતા મંદિરે વડ સાવિત્રી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં ઘણી મહિલાઓએ આ વ્રતમાં ભાગ લીધો હતો. વૈદિક બ્રાહ્મણોની હાજરીમાં મહિલાોએ વડદાદાની પૂજા કરી, પછી 108 પ્રદક્ષિણા કરી અને સૂતર વીંટાળ્યું. પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી સાથે જ વ્રતની કથા સાંભળવામાં આવી હતી. વ્રત ધારી મહિલાઓએ ઉપવાસ રાખીને ભક્તિભાવપૂર્વક દિવસ પસાર કર્યો હતો. રાત્રે સામૂહિક જાગરણ સાથે ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.