નર્મદા પરિક્રમા માટે તંત્ર સજ્જ: ક્રાઉડ મેનેજમેન્ટ માટે પોલીસ કેબિન અને વૉચ ટાવર ઊભા કરાશે.
નર્મદા પરિક્રમા માટે તંત્ર સજ્જ: ક્રાઉડ મેનેજમેન્ટ માટે પોલીસ કેબિન અને વૉચ ટાવર ઊભા કરાશે.
Published on: 17th March, 2026

19 માર્ચથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા પહેલી વખત પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવશે. બેરિકેડિંગ વ્યવસ્થા તથા RFID આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમથી યાત્રાળુઓ પર નજર રખાશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી તેમજ કાયમી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.