પાટણમાં પરિવારોત્સવ: તૂટેલા સંબંધોનું પુનઃમિલન
પાટણમાં પરિવારોત્સવ: તૂટેલા સંબંધોનું પુનઃમિલન
Published on: 20th August, 2026

આધુનિક યુગમાં વિખેરાઈ રહેલા પરિવારોને ફરીથી એક કરવાના ઉમદા હેતુથી પાટણમાં હેરીટેજ ગ્રુપ દ્વારા પ્રથમવાર 'પરિવારોત્સવ'નું આયોજન કરાયું. જાણીતા ટ્રાન્સફોર્મેશન સ્પીકર મનીષ વઘાસિયાએ ૩ કલાકના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા સંબંધોનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે વર્ષોથી મનદુઃખ ધરાવતા ભાઈ-ભાઈ, દેરાણી-જેઠાણી અને માતા-પિતા-સંતાનો વચ્ચે સમાધાન કરાવી સ્ટેજ પર ભેટી પડાવ્યા. આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી, જ્યાં અનેક સંબંધોને નવું જીવન મળ્યું.