પહેલા આતંકવાદ પર એક્શન લો, કરાંચી બ્લાસ્ટ મુદ્દે ભારતનો પાકિસ્તાનને જવાબ
પહેલા આતંકવાદ પર એક્શન લો, કરાંચી બ્લાસ્ટ મુદ્દે ભારતનો પાકિસ્તાનને જવાબ
Published on: 28th June, 2026

પાકિસ્તાનના કરાંચીમાં સૈન્ય કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ભારત પર આક્ષેપો કર્યા હતા, જેને ભારતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાને પહેલા પોતાના દેશમાં સક્રિય આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવી જોઈએ. હુમલામાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં ત્રણ પાકિસ્તાની જવાનો અને ત્રણ આતંકવાદીના મોત થયા, જ્યારે એક હુમલાખોરને જીવતો ઝડપી લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.