'તાત્કાલિક હુમલા બંધ કરો...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારતે UNSC ગજવ્યું
'તાત્કાલિક હુમલા બંધ કરો...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારતે UNSC ગજવ્યું
Published on: 29th July, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સાગરમાં વધતા હુમલાઓએ વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠાને ગંભીર અસર પહોંચાડી છે. ભારતે UNSC માં સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ જહાજો અને નાગરિક સુવિધાઓ પર હુમલા સ્વીકાર્ય નથી. તાજેતરમાં એક ભારતીય નાગરિકના મોત અને અનેક ભારતીયોના ઘાયલ/ગુમ થવાને કારણે ભારતીયોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતનો આ ક્ષેત્ર સાથે 180 અબજ યુએસ ડોલરનો વેપાર છે, જે સુરક્ષા જોખમાતા પ્રભાવિત થઈ શકે છે. ભારતે જહાજો પર થયેલા હુમલાઓની નિંદા કરી અને ગાઝાના માનવીય સંકટ પર ચિંતા વ્યક્ત કરી.