યુક્રેનના ખારકીવમાં રશિયાનો ભીષણ હુમલો
યુક્રેનના ખારકીવમાં રશિયાનો ભીષણ હુમલો
Published on: 18th August, 2026

યુક્રેનના ખારકીવ વિસ્તારના પેચેનીહી ગામમાં રશિયા દ્વારા કરાયેલા ભીષણ મિસાઈલ હુમલામાં 10 લોકોના મોત અને 17 ઘાયલ થયા છે. આ હુમલામાં રહેણાંક મકાનો, દુકાનો, કાફે અને પોસ્ટ ઓફિસ સહિત અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાની નિંદા કરી અને વળતો જવાબ આપવાની ચેતવણી આપી છે. ખારકીવ ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનીહુબોવના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 7 વાહનોને પણ ભારે નુકસાન થયું છે.