પાકિસ્તાનની ક્રિકેટ ટીમને 'શરણાર્થી' સમજી બેઠા બ્રિટનના લોકો
પાકિસ્તાનની ક્રિકેટ ટીમને 'શરણાર્થી' સમજી બેઠા બ્રિટનના લોકો
Published on: 10th September, 2026

ઇંગ્લેન્ડમાં મેચ રમવા આવેલી પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમને સ્થાનિક લોકોએ ભૂલથી 'શરણાર્થીઓનું જૂથ' સમજી લીધું. આ ખોટી માહિતીને કારણે ખેલાડીઓ જે હોટેલમાં રોકાયા હતા તેની બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પ્રદર્શન શરૂ કર્યું. 'બ્રિટિશ ન હોય તેવા લોકો આવ્યા છે' એવી અફવા ફેલાતાં વિરોધ પ્રદર્શનકારીઓ હોટેલ બહાર પહોંચ્યા હતા. એક કાઉન્સિલરની દરમિયાનગીરી બાદ ખ્યાલ આવ્યો કે તે પાકિસ્તાનની અધિકૃત જુનિયર ક્રિકેટ ટીમ છે, ત્યારબાદ મામલો થાળે પડ્યો. ECB સુરક્ષા સમીક્ષા કરી રહ્યું છે.