ભારત-નેપાળ સરહદી વિવાદ ઉકેલવા નેપાળ તૈયાર
ભારત-નેપાળ સરહદી વિવાદ ઉકેલવા નેપાળ તૈયાર
Published on: 08th June, 2026

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે જણાવ્યું છે કે, કાઠમંડુ ભારત સાથેના તમામ સરહદી વિવાદોને કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરી વિના માત્ર પ્રવર્તમાન દ્વિપક્ષીય માધ્યમો દ્વારા જ ઉકેલવા માંગે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે બંને પક્ષો ખુલ્લા દિલ, તાર્કિક મન અને પરસ્પર સન્માન સાથે ટેબલ પર બેસે છે, ત્યારે કોઈ પણ સમસ્યા એટલી મોટી કે જટિલ હોતી નથી કે જેનો ઉકેલ ન આવી શકે. લિપુલેખ વિસ્તારમાંથી કૈલાસ માનસરોવર યાત્રાના માર્ગ અંગે નેપાળે વાંધો ઉઠાવ્યો હતો.